દીવા તળે અંધારૂ..સરકારી જી-શાળા એપમાં જુના કોર્સના પ્રકરણ યથાવત

  • June 18, 2025 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત રાજ્યભરમાં સમગ્ર શિક્ષાની જી-શાળા એપમાં નવા કોર્સને બદલે જુના કોર્સના પ્રકરણ યથાવત રહેતા દિવા તળે અંધારાની સ્થિતિથી ભારે દેકારો બોલી ગયો છે. શૈક્ષણિક સત્ર શરૂ થતાં નવા પાઠ્ય પુસ્તકોનો અભ્યાસ શરૂ થયો છે, પરંતુ એપમાં ઇ-ક્ધટેન્ટ જુના કોર્સના હોય, અનેક સવાલો ઉઠ્યા છે. શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં ધો. ૬ થી ૮ માં વૈદિક ગણિત સહિતના પાઠ્ય પુસ્તકો આવ્યા ન હોવાની ફરિયાદો ઉઠી છે.  


રાજ્ય સરકારના શિક્ષણ ખાતાની સમગ્ર શિક્ષા કચેરી દ્વારા  વેબસાઈટ અને એપ પર ધોરણ:- ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મુખ્ય વિષયોના પાઠયપુસ્તકોના પ્રકરણોના વિડિયોઝ અને  ફાઈલો દ્વારા દ્રશ્ય શ્રાવ્ય ઈક્ધટેન્ટ મુકાયેલ છે.

​​​​​​​શિક્ષણ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય  શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ:- ૨૦૨૫-૨૬ થી અમુક ધોરણોના અમુક વિષયોના નવા પાઠય પુસ્તકો અમલમાં મૂકાયા છે. જેમાં ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ધોરણ:-૧ના ગુજરાતી વિષયનું અને ધોરણ:-૬ના અંગ્રેજી વિષયનું તથા ધોરણ:-૮ના ગુજરાતી વિષયનું નવું પાઠયપુસ્તક અમલમાં લવાયું છે. પરંતુ, આશ્ચર્યની વાત તો એ છે કે,  વેબસાઈટ અને એપ પર નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ જવા છતાં આ વિષયો અને ધોરણોના નવા કોર્સને બદલે હજુ પણ જૂના કોર્સનું જ ઈક્ધટેન્ટ આવી રહ્યું છે. 


ધોરણ:- ૩ થી ૮માં સત્ર-૧ અને સત્ર-૨ની લેખિત પરીક્ષાઓના સમગ્ર શિક્ષા કચેરી દ્વારા  એપમાં - બોટમાં અપાતા સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડની  ફાઈલમાં પણ વિદ્યાર્થીઓની કચાશવાળી અધ્યયન નિષ્પતિઓને સુધારવા ની લીન્ક અપાય છે અને તેનો હાલ જૂન માસમાં શાળાઓમાં કરાવવામાં આવતા ઉપચારાત્મક કાર્ય અને બ્રીજ કોર્ષમાં તો ખાસ ઉપયોગ કરવાનો હોય છે.


જો કે ઈ-ક્ધટેન્ટનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરેને કરે જ તે માટે પ્રયત્નો કરવા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો પર વિવિધ ચેનલો મારફત પરિપત્ર અને સૂચનાઓ દ્વારા સતત દબાણ પણ કરાય છે.  ત્યારે માં ઈક્ધટેન્ટ અપડેટ કરવાનું કાર્ય સંભાળતા જવાબદારોની જૂનો કોર્સ ચલાવવ્યે રાખવાની ઘોર બેદરકારીઓ છતાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા એને લગત પરિણામલક્ષી કાર્યવાહી નહીં કરાતી હોય આમાં ક્યાંથી ભણે ગુજરાત તેવી ચર્ચાએ વાલીઓમાં જોર પક્ડયું છે. 


ઉપરાંત, જામનગર શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ:- ૬  થી ૮ માં વૈદિક ગણિત તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં મૂલ્યો અને સિદ્ધાંતોના પાઠયપુસ્તકો સાવ આવ્યા જ ન હોવાની ફરિયાદો પણ છાત્રોમાંથી અને વાલીઓમાંથી ઊઠવા પામી છે.  અપડેટેડ નવા ઈક્ધટેન્ટ તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યવાન જ્ઞાન અને શિક્ષણથી બાળકોને વંચિત રખાતા આને કહેવાય વિકાસ તે સહિતની અલગ અલગ ચર્ચાઓએ વાલીઓમાં જોર પકડ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application