સોના અને ચાંદીના આયાત ભાવમાં ફરી વધારો, સ્થાનિક બજારમાં લેવાલી ઘટશે
ભારતમાં સોના અને ચાંદીના ખરીદદારોને વધુ એક જોરદાર ઝટકો લાગી શકે છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર બંનેના મૂળ આયાત ભાવમાં વધારો કર્યેા છે. નોંધપાત્ર રીતે, સરકારે આ ભાવમાં માત્ર ત્રણ દિવસ પહેલા ઘટાડો કર્યેા હતો, પરંતુ હવે તેણે ફરીથી તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ પર અસર પડી શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ દ્રારા જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર, સોનાના મૂળ આયાત ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૫ ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. આનાથી નવી મૂળ આયાત કિંમત ૧,૩૪૮ ડોલર પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ છે. ચાંદી માટેનો વધારો વધુ મોટો છે. ચાંદીના મૂળ આયાત ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૮૩ ડોલર નો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી તેની કિંમત પ્રતિ કિલોગ્રામ ૨,૧૭૫ ડોલર થઈ ગઈ છે.રસપ્રદ વાત એ છે કે, થોડા દિવસો પહેલા, સરકારે સોનાના આયાત ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૮૦ ડોલર અને ચાંદીના ૨૭૬ ડોલર પ્રતિ કિલોગ્રામનો ઘટાડો કર્યેા હતો. તે સમયે, એવું માનવામાં આવતું હતું કે આનાથી આયાત ખર્ચમાં ઘટાડો થશે અને સ્થાનિક બજારને થોડી રાહત મળશે. જોકે, આ અચાનક વધારાથી બજારમાં નવી ચર્ચા શ થઈ છે.નિષ્ણાતો માને છે કે સરકારનું આ પગલું દેશના વિદેશી હંડિયામણ ભંડાર પર વધતા દબાણને ઘટાડવાની રણનીતિનો ભાગ હોઈ શકે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ–રાજકીય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓએ ભારતના વિદેશી હંડિયામણ ભંડારને અસર કરી છે. પરિણામે, સરકાર બિન–આવશ્યક આયાતોને નિયંત્રિત કરવા માટે સતત પગલાં લઈ રહી છે.
એ પણ નોંધનીય છે કે છેલ્લા બે મહિનામાં સોના પર આયાત જકાત અંગેના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં, સરકારે વધુ પડતી ખરીદી અને આયાતને નિયંત્રિત કરવા માટે સોના અને ચાંદી પર આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી છે. આનો હેતુ વેપાર ખાધને મર્યાદિત કરવા અને વિદેશી હંડિયામણ બચાવવાનો છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં દેશના સોનાના ભંડારનું મૂલ્ય વધીને ૧૧,૪૫,૮૦૦ લાખ ડોલર થયું હતું. જોકે, કુલ વિદેશી હંડિયામણ ભંડારમાં ઘટાડો થયો હતો. વિદેશી ચલણ સંપત્તિ માં ઘટાડાને કારણે, કુલ વિદેશી હંડિયામણ અનામત ઘટીને ૬૮,૧૬,૧૦૦ લાખ ડોલર થઈ ગયું છે..