BREAKING NEWS

ન્યારી-૨ સહિત સૌરાષ્ટ્રના ૬ ડેમમાં પોણો ફૂટ સુધી આવક

  • July 20, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા ન્યારી-૨ ડેમ સહિત સૌરાષ્ટ્રના છ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં ૦.૧૦ ફૂટથી પોણો ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે, આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૫ મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે.જ્યારે સૌરાષ્ટ્રના કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી. વિશેષમાં રાજકોટ ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આજી-૩માં ૦.૨૬ ફૂટ, ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૨માં ૦.૧૦ ફૂટ, બ્રાહ્મણી-૨માં પોણો ફૂટ, મચ્છુ-૩માં ૦.૧૦ ફૂટ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-૨ ડેમમાં ૦.૩૦ ફૂટ પાણીની આવક નોંધાઇ છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે, ડેમનો એક દરવાજો આજે સાંજે ચાર કલાકે ૦.૦૫ મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૭૩.૭૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૭૨.૫ મીટર છે, આવક અને જાવક ૧૧૦ ક્યુસેક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application