સોનાક્ષી સિંહા પિતાના પગલે રાજકારણમાં પ્રવેશ કરે તો નવાઈ નહી
સોનાક્ષી સિંહા પિતાના પગલે રાજકારણમાં પ્રવેશ કરે તો નવાઈ નહી
August 18, 2026 03:01 PM
સોનાક્ષી સિંહાએ સીજેપી વિરોધ પ્રદર્શન દરમિયાન અણનમ રીતે પોતાનો મત રજૂ કર્યો હતો અને સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમણે સોનમ વાંગચુકને પણ સમર્થન આપ્યું હતું અને ખૂબ વાયરલ થઈ હતી. પરંતુ ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે મૌન સેવ્યું છે. આ અંગે સોનાક્ષીના પિતા અને દિગ્ગજ અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિંહાએ વાત કરી છે. સાથે જ તેમણે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે સોનાક્ષી રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં? શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું કે સોનાક્ષીએ થોડા દિવસો પહેલા ઝારખંડના બાળકો માટે પણ ખૂબ મજબૂત સમર્થન આપ્યું હતું. આ બાબતે દિગ્ગજ અભિનેતાને પૂછવામાં આવ્યું કે સીજેપી વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે કંઈક વધુ જ સમર્થન આપ્યું હતું, તો શું તમને લાગે છે કે તે રાજકારણમાં આવશે? તેના જવાબમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું, "હું કહી શકતો નથી, પહેલા તો હું પૂછતો પણ હતો." ત્યારબાદ તેમણે કહ્યું, "હું એટલું જ કહી શકું છું કે તે એક અત્યંત કાબિલ પિતાની અત્યંત કાબિલ પુત્રી છે.શત્રુઘ્ન સિંહાએ સોનાક્ષીને ટ્રોલ કરનારાઓ પર પણ નિશાનો સાધ્યો. તેમણે કહ્યું, "ઘણા લોકો જે ટ્રોલ કરી રહ્યા છે તે પેઇડ ટ્રોલર્સ છે. ભાજપમાં જે આઇટી સેલ છે તે સોનાક્ષી વિરુદ્ધ ટ્રોલિંગ કરાવે છે અને આ ઓર્ગેનિક ટ્રોલિંગ નથી. આ પેઇડ ટ્રોલ્સ છે જેમને એ પણ ખબર નથી હોતી કે શું બોલવું. પરંતુ સોનાક્ષીએ એ સારું કહી દીધું કે 'હું તો જોતી જ નથી, બહુ હિંમત છે'.સોનાક્ષી સિંહા છેલ્લે ઓટીટી પર રિલીઝ થયેલી 'સિસ્ટમ'માં જોવા મળી હતી. આ એક લીગલ ડ્રામા સીરિઝ હતી જેમાં અભિનેત્રીએ વકીલની ભૂમિકા ભજવી હતી. તો બીજી તરફ સોનાક્ષીના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત થવાની હજુ બાકી છે.