સંધના વડા મોહન ભાગવત આજે 29 ઓગસ્ટના રોજ ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યુનિવર્સલ વનનેસ કાર્યક્રમને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ રાજકીય અને ધાર્મિક વિરોધનો પણ સામનો કરી રહ્યો છે. વિરોધ કરનારાઓમાં ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીની પણ સામેલ છે. મંગળવારે, જ્યારે મોહન ભાગવતના કાર્યક્રમ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મમદાનીએ કહ્યું કે તેઓ રેલીને સમર્થન આપતા નથી. તેમણે આરએસએસ પર વિભાજનકારી રાજકારણને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતના કાર્યક્રમ સામે ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીના નિવેદનથી અમેરિકન હિન્દુ સંગઠનો ગુસ્સે છે. એક અગ્રણી અમેરિકન સંગઠન, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન, એ હિન્દુ સમુદાયના ખાનગી કાર્યક્રમ પર મમદાનીની ટિપ્પણીને એક દુર્લભ ઘટના ગણાવી હતી. સંગઠને એવો પણ આરોપ લગાવ્યો હતો કે શહેરના કરદાતાઓના પૈસાનો ઉપયોગ મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કરવા માટે કરવામાં આવ્યો હતો. વિરોધ કરનારા કેટલાક જૂથોમાં મેયરના કાર્યાલય તરફથી ગ્રાન્ટ મેળવનારા કેટલાક જૂથોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application