સિહોરના ટાણા રોડ રાધે મઢુલી રામટેકરીની સામે આવેલ એક મકાનમાં આગ ઘટના બની હતી. માવજીભાઈ પ્રાગજીભાઈ ચૌહાણના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં સિહોર નગરપાલિકાના ફાયર અધિકારી અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પણ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઘરમાં રહેલી તિજોરી, ફર્નિચર અને કપડાં સહિતનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. આ અગ્નિકાંડમાં અંદાજે એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે વધુ નુકસાન થતું અટકી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે. જો કે, ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. એક સમયે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ફાઈટર સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે, ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાક થઈ જતાં મકાન માલિકને ભારે નુકસાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech