આવતીકાલથી યજ્ઞનો પ્રારંભ, બુધવારે રુદ્ર યાગ મહાપ્રસાદનું આયોજન જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ શનિદેવ તથા સરસ્વતી માતાજીના મંદિરે બુધવારે શનિદેવ પાટોત્સવ તથા રૂદ્રાયાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત તુલસી નાથ બાપુ ના માર્ગદર્શન હેઠળ યોજાનાર કાર્યક્રમમાં સાંજે ચાર વાગ્યે મહા યજ્ઞ પ્રારંભ હેમાદ્રી શ્રવણ તથા તા.૨ ના બુધવારે ગણપતિ પૂજન, શનિદેવ પૂજન, સવારે સાત વાગ્યે રુદ્રી હવનનો પ્રારંભ અને બપોરે ૧૨ વાગ્યે ભોજન અને સાંજે યજ્ઞમાં બીડું હોમવામાં આવશે. ધર્મમ્ય કાર્યક્રમમાં દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને એકતાનાજીએ નિમંત્રિત કર્યા છે