કાલાવડમાં યુવાધનને નશાથી બચાવવા એસઓજીનો સરાહનીય પ્રયાસ

  • June 18, 2025 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડમાં યુવા પેઢીને નશાની બદીથી દૂર રાખવાના ઉમદા હેતુ સાથે ગઈકાલે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) દ્વારા કાલાવડ ગાર્ડી વિધાપીઠ ખાતે એક એન.ડી.પી.એસ. સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગાર્ડી વિધાપીઠના અંદાજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 


આ ઉપરાંત, કાલાવડ સ્થિત આઈ.ટી.આઈ. સેન્ટરના પણ લગભગ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં હાજરી આપી હતી. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાના દુષણથી વાકેફ કરવાનો અને તેનાથી થતા વ્યક્તિગત પતન તેમજ પરિવારની થતી બરબાદી અંગે જાગૃત કરવાનો હતો.

​​​​​​​જામનગર એસ.ઓ.જી.ના અધિકારીઓએ વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવા અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ સેમિનાર યુવાધનને સાચી દિશા તરફ વાળવામાં અને સમાજને નશામુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવું માનવામાં આવી રહ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application