ગુજરાતના વડોદરા શહેરમાં આજે કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં Sardar@150 રાષ્ટ્રીય એકતા માર્ચનું ભવ્ય આયોજન થયું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ માર્ચમાં વડોદરાની યુવા શક્તિએ જોડાણ કરીને રાષ્ટ્રીય એકતાનો પ્રબળ સંદેશ આપ્યો હતો.
શ્રી સોનોવાલે આરાણા લૉન્સ, સેવાસી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન કરતા સ્પષ્ટ કહ્યું કે, "સરદાર પટેલનું એકતાનું સ્વપ્ન આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વધુ સશક્ત બન્યું છે. દેશના યુવાનો 'એક ભારત'ના સાચા દીપવાહક છે."
પદયાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ
આ પદયાત્રાની શરૂઆત અંકલાવ સ્થિત હરે કૃષ્ણ મંદિરેથી થઈ હતી. તેમાં વિદ્યાર્થીઓ, સાંસ્કૃતિક મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રામાં યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી, જે સરદાર પટેલના વિચારો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, "આ માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે."
રાષ્ટ્રીય સ્તરે 15 લાખથી વધુ નાગરિકોની ભાગીદારી
MY Bharatના આંકડાઓ પ્રમાણે, આ Sardar@150 પહેલને રાષ્ટ્રીય સ્તરે પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં દેશના 620થી વધુ જિલ્લાઓ અને 440 લોકસભા વિસ્તારોમાં 1,514 પદયાત્રાઓ યોજાઈ ચૂકી છે. આ યાત્રાઓમાં 15 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો છે અને કુલ 10,007 કિમીનું અંતર કાપ્યું છે.
કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે વડોદરામાં યોજાયેલી Sardar@150 રાષ્ટ્રીય એકતા માર્ચમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશના યુવાનો “એક ભારત”ના સાચા દીપવાહક છે અને સરદાર પટેલે દર્શાવેલી રાષ્ટ્રીય એકતા આજે પણ દેશના દરેક નાગરિકને પ્રેરિત કરે છે. વડોદરામાં માર્ચના આગમન સમયે આરાણા લૉન્સ, સેવાસીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે “આ માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારત તરફ દૃઢતાથી આગળ વધી રહ્યો છે.”
પદયાત્રાની શરૂઆત અંકલાવ સ્થિત હરે કૃષ્ણ મંદિરેથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, સાંસ્કૃતિક મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર ભાગીદાર થઈ હતી. યાત્રામાં યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. MY Bharatના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં દેશના 620થી વધુ જિલ્લાઓ અને 440 લોકસભા વિસ્તારોમાં 1,514 પદયાત્રાઓ યોજાઈ છે, જેમાં 15 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો છે અને કુલ 10,007 કિમીના રસ્તાઓથી પસાર થઈ છે. વડોદરામાં યોજાયેલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં “વિઠ્ઠલભાઈ – મણિબેન – સરદાર” થીમ પર આધારિત સરદાર ગાથા સાથે ગ્રામસભા, નૃત્ય નાટિકા અને ભજન સંધ્યા જેવી સાંસ્કૃતિક રજૂઆતો યોજાઈ હતી.
આ અવસરે અનેક માનનીય આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં ડૉ. મન્સુખ માંડવિયા – કેન્દ્રીય યુવા અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી, અજય ટમ્ટા – કેન્દ્રીય રાજ્ય મંત્રી, શ્રી શીશપાલ રાજપૂત – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન; ધારાસભ્યો શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ પટેલ; સાંસદ શ્રી હેમાંગ જોશી, શ્રી જશુભાઈ રાઠવા તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરીભાઈ અમીન સહિતના આગેવાનો સામેલ થયા હતા.