અરબી સમુદ્રમાં પાકિસ્તાની અને ભારતીય નૌકાદળના જહાજો વચ્ચે ટક્કરથી તણાવ
અરબી સમુદ્રમાં પાકિસ્તાની અને ભારતીય નૌકાદળના જહાજો વચ્ચે ટક્કરથી તણાવ
September 17, 2026 10:23 AM
અરબી સમુદ્રમાં પાકિસ્તાની અને ભારતીય નૌકાદળના જહાજો વચ્ચે ટક્કરથી બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતના ચાર્જ ડી'અફેર્સ ડૉ. સત્યંજલ પાંડેને સમન્સ પાઠવીને વિરોધ નોંધાવ્યો. ભારતે પાકિસ્તાની રાજદૂતને સમન્સ પાઠવ્યા બાદ ઇસ્લામાબાદે આ પગલું ભર્યું હતું. બંને દેશોના જહાજો વચ્ચે ટક્કર મંગળવારે થઈ હતી. પાકિસ્તાનનો દાવો છે કે આ ઘટના તેના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં બની હતી. ભારતે આ દાવાને ફગાવી દીધો છે, અને કહ્યું છે કે આ ઘટના આંતરરાષ્ટ્રીય સીમામાં બની હતી.પાકિસ્તાન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નૌકાદળના જહાજે 15 સપ્ટેમ્બરના રોજ "ઉશ્કેરણીજનક" કાર્યવાહી કરી હતી, જેની તે નિંદા કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના આંતરરાષ્ટ્રીય કાયદા અને "લશ્કરી કવાયતો, દાવપેચ અને સૈનિકોની હિલચાલની અગાઉથી સૂચના" પર 1991 ના દ્વિપક્ષીય કરારનું ગંભીર ઉલ્લંઘન છે.પાકિસ્તાન નૌકાદળ તેની દ્વિવાર્ષિક કવાયત કરી રહ્યું હતું. આ કવાયત દરમિયાન, ભારતીય જહાજ પાકિસ્તાની નૌકાદળના જહાજની ખૂબ નજીક પહોંચ્યું હતું.