BREAKING NEWS

લાલ મરચાની ભૂકીમાં ભેળસેળ સબબ વેપારીને જેલ સજા અને દોઢ લાખ દંડ

  • August 08, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા દ્રારા ફડ સેટી ઓફિસરની નિમણૂક સહિતના ટેકનિકલ વાંધાઓ અદાલતે ધ્યાને ન લીધ


સોરઠીયાવાડી મરચાપીઠ વિસ્તારમાં ભેળસેળયુકત લાલ મરચાની ભુકી વેચતા ઝડપાઇ ગયાના નવ વર્ષ પહેલાના કેસમાં કોર્ટે વેપારીને એક માસની સજા અને . ૧.૫૦ લાખનો દડં ફરમાવી દડં ન ચૂકવે તો વધુ એક માસની સજાનો હત્પકમ કર્યેા છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના આરોગ્ય શાખાના ફડ સેફટી ઓફિસર કે. એમ. રાઠોડ અને તા. ૧૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ સોરઠીયાવાડી મરચાપીઠ વિસ્તારમાં આવેલ મનહરલાલ ડાહ્યાલાલ સાતાની દુકાને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદ લાગતાં લાલ મરચાની ભુકીનો નમૂનો સીલ કરી બરોડા સ્થિત ફડ એનાલીસીસ લેબોરેટરીમાં પૃથક્કરણ કરાવતા આ પાવડરમાં કાયદાથી પ્રતિબંધિત અને સ્વાસ્થ્ય માટે અત્યતં હાનિકારક એવો નોન–પરમિટેડ ઓઈલ સોલ્યુબલ પિન્ક એન્ડ ઓરેન્જ કલર (કોલટાર ડાઈ)ની હાજરી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આમ, વેપારીએ ખોટો આર્થિક લાભ મેળવવા માટે આ ભેળસેળ કરી હોવાનું સામે આવતાં રાજકોટ મહાનગર પાલિકા દ્રારા ફડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ – ૨૦૦૬ હેઠળ અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી પક્ષ દ્રારા કાનૂની ટેકનિકલ મુદ્દાઓ અને ફડ સેફટી ઓફિસરની નિમણૂંક સામે સવાલો ઉઠાવી બચાવ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જેની સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના વકીલ દ્રારા રજૂ કરાયેલા દસ્તાવેજો, પુરાવાઓ અને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકી કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે મનહરલાલ ડાહ્યાલાલ સાતાને તકસીરવાન ઠેરવી કલમ–૫૯ (૧) હેઠળ એક માસની સજા અને . ૧.૫૦ લાખનો દડં ન ભરે તો વધુ એક માસની સજાનો હત્પકમ ફરમાવ્યો છે. આ કેસમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન વતી એડવોકેટ જીજ્ઞેશ એન. શાહ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application