રાજકોટ શહેરના જંગલેશ્વરમાં શેરી નં-23માં આવેલા કાદરી પેલેસમાં રહેતા ઝાબીરભાઈ હુશેનભાઈ કાદરી (ઉ.વ.40)એ ગત તા.29ના સવારે પાંચેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ લોટ્સ હોસ્પિટલમાં અને ત્યાંથી સમયક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જતા તેમનું ગઈકાલે મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.