BREAKING NEWS

જામનગર શહેરના યોગેશ્ર્વરનગરમાં યુવાનને લાકડી-સળીયા વડે માર માર્યો

  • July 09, 2026 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના યોગેશ્ર્વરનગરમાં યુવાનને લાકડી-સળીયા વડે માર માર્યો

પાણીની લાઇન માટે ખાડો કરવાનો ખાર કારણભુત 

જામનગરના યોગેશ્ર્વરનગર વિસ્તારમાં પાણીની લાઇન નાખવા માટે ખાડો ખોદવાનો ખાર રાખીને પાડોશમાં રહેતા શખ્સોએ લાકડી, સળીયા અને ઢીકાપાટુ વડે યુવાનને માર મારીને ધમકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. 

જામનગરના યોગેશ્ર્વરનગર-૨ શેરી નં. ૪માં રહેતા કિશોરસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ.૨૯) નામના યુવાન તા. ૮ના રોજ પોતાના ઘર પાસે પાણીની લાઇન નાખવા માટે ખાડો કરતા હતા જે બાબતનો ખાર રાખીને તેની સામે રહેતા આરોપીઓએ એક સંપ કરીને ફરીયાદી સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો. 

દરમ્યાનમાં સળીયા, લાકડી અને ઢીકાપાટુ વડે યુવાનને આડેધડ માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી. આ અંગે કિશોરસિંહ દ્વારા સીટી-એ ડીવીઝનમાં અજય ઉર્ફે અજલો બાવો, હિતેશ અજય અને અજયના ભાભી ત્રણની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application