જામનગર: નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 9 અને 11ની ખાલી બેઠકો માટે ઓનલાઈન નોંધણી શરૂ
જામનગર: નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 9 અને 11ની ખાલી બેઠકો માટે ઓનલાઈન નોંધણી શરૂ
September 08, 2026 11:54 AM
જામનગર: નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 9 અને 11ની ખાલી બેઠકો માટે ઓનલાઈન નોંધણી શરૂ
ઉમેદવારો તા.૩૦ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે
જામનગર તા.૭ સપ્ટેમ્બર, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ દરમિયાન ધોરણ ૯ અને ૧૧ની ખાલી બેઠકો પર પ્રવેશ માટે પાર્શ્વ પ્રવેશ પસંદગી પરીક્ષા (LEST)-૨૦૨૭ અંતર્ગત ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પરીક્ષા સંબંધિત વિગતવાર માહિતી ઓનલાઈન નોંધણી પોર્ટલ પર ઉપલબ્ધ છે. ઉમેદવારો તથા વાલીઓએ તેમાં પાત્રતા, જરૂરી દસ્તાવેજો, પરીક્ષા સંબંધિત માર્ગદર્શિકા તથા અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવા તથા અરજી પ્રક્રિયા દરમિયાન જરૂરી માહિતી તથા દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ કરવા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.