BREAKING NEWS

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર નહીં મહત્વના પ્રશ્ર્નો ફરતા થયાનો રિપોર્ટ..!

  • August 27, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર નહીં મહત્વના પ્રશ્ર્નો ફરતા થયાનો રિપોર્ટ..!

શલ્ય તંત્ર-૧ના પેપર લીક પ્રકરણમાં તપાસ સમિતિના તારણથી અનેક સવાલ

પેપર ફરીથી લેવાશે નહીં: ફરતા થયેલા ૧૨ માંથી ૧૧સવાલ બેઠા પૂછાયા તા

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું શલ્ય તંત્ર-૧ પેપર લીક થવાના પ્રકરણમાં પેપર નહીં પરંતુ મહત્વા પ્રશ્ર્નો ફરતા થયાના તપાસ સમિતિના રિપોર્ટથી અનેક સવાલ ઉઠ્યા છે. આ પ્રકરણની તપાસ પૂર્ણ થઇ છે. પરંતુ સંભવત: પેપર ફરી લેવાશે નહીં. સોશિયલ મીડીયામાં ફરતા થયેલા ૧૨માંથી ૧૧ સવાલ પેપરમાં બેઠા પૂછાયા હતાં. 

જામનગરમાં કાર્યરત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળની રાજયની પાંચ સરકારી સહીત કુલ ૩૬ કોલેજમાં ગત તા.૨૦ જુલાઇના બીએએમએસ તૃતિય વર્ષના શલ્યતંત્ર-૧નું પેપર લેવાયું હતું. જેમાં સોશીયલ મીડીયામાં ફરતા થયેલા ૧૨ ૫ૈકી ૧૧ સવાલ બેઠા પૂછાતા પેપર લીક થયાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચી ગયો હતો. આથી કુલપતિના આદેશથી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિએ કથિત પેપર લીક પ્રકરણની તપાસ કરી અહેવાલ સોંપ્યો છે.

​​​​​​​આ અંગે યુનિવર્સિટીના સંબધિત અધિકારીઓના જણાવ્યાનુસાર તપાસ અહેવાલ  પરથી પેપર લીક ન થયાનું તારણ બહાર આવ્યું છે. કારણ કે, સોશીયલ મીડીયામાં ફરતા થયેલા મહત્વના પોઇન્ટ છે તે પ્રશ્ર્નોના સ્વરૂપમાં નથી. તદઉપરાંત ફરતા થયેલા કથિત ઇમ્પોર્ટટન્ટ પોઇન્ટનો ફેલાવો પણ સામે આવ્યો નથી અને વિધાર્થીમાંથી પણ કોઇ ફરિયાદ કે રજૂઆતો આવી નથી. આથી જે તે વિષયની પરીક્ષા પુન: લેવાશે નહીં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application